શારીરિક શિક્ષણ નિયામકશ્રી ડો. જતીનભાઈ સોની યુનિવર્સિટીની ફરજોમાંથી સ્વૈચ્છિક નિવૃત થતા તેઓને શુભેચ્છા પાઠવતા કુલપતિશ્રી પ્રો. ગિરીશભાઇ ભિમાણી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામકશ્રી ડો. જતીનભાઈ સોની યુનિવર્સિટીની ફરજોમાંથી સ્વૈચ્છિક નિવૃત થતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો. ગિરીશભાઈ ભિમાણી સાહેબે  ડો. જતીનભાઈ સોનીની સેવાઓને બિરદાવી હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવશ્રી અમીતભાઈ પારેખે ડો. જતીનભાઈ સોનીને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા.

આ તકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૌ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Published by: Office of the Vice Chancellor

07-04-2022